27/11/2025
દરેક બાળક સ્કૂલની મુખ્ય ધારા સાથે જોડાય –આ છે મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટના જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય.શિક્ષણથી વંચિત એક પણ બાળક પાછળ ન રહી જાય, તે માટે અમે કટિબદ્ધ છીએ.આ સેન્ટરમાં શિક્ષક બાળકોને પ્રેમ, રમતગમત અને ગીતો દ્વારા ભણવા માટે પ્રેરિત કરે છે.અહીં તેમને બેઝિક શિક્ષણ, સંસ્કાર અને કૌશલ્ય સાથે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય છે — બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવીને તેમને ફરીથી શાળાની મુખ્ય ધારા સાથે જોડવું.આ ઉમદા કાર્યમાં જોડાઈને તમે પણ બની શકો છો એક ‘જીવનદીપ’.