Patel Agro Seeds પટેલ એગ્રો સીડ્સ

  • Home
  • India
  • Rajkot
  • Patel Agro Seeds પટેલ એગ્રો સીડ્સ

Patel Agro Seeds પટેલ એગ્રો સીડ્સ We Distribute a Quality Seeds

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો - ૧. બેસિલસ (Bacillus): ૧. બેસિલસ (Bacillus)પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલ...
12/06/2026

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો - ૧. બેસિલસ (Bacillus):
૧. બેસિલસ (Bacillus)

પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે માટીના કણો સાથે બંધાઈ જાય છે, જે છોડના મૂળને મળી શકતો નથી. બેસિલસ એ બેક્ટેરિયાનું જૂથ છે જે ફોસ્ફરસને એવા સ્વરૂપમાં મુક્ત કરે છે જે મૂળ સહેલાઇ થી શોષી શકે .વ્યાપારી ઉત્પાદનોમાં સૌથી સામાન્ય રીતે વપરાતી પ્રજાતિઓ છે બેસિલસ સબટિલિસ (Bacillus subtilis), બેસિલસ મેગાટેરિયમ (Bacillus megaterium), અને બેસિલસ લિચેનિફોર્મિસ (Bacillus licheniformis).

૨. ટ્રાઇકોડર્મા (Trichoderma) : વિષે જાણવા વાંચતા રહો. કૃષિ વિજ્ઞાન

https://krushivigyan.com/2026/06/%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-btm-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%ab%8b/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # કૃષિ માહિતી

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે? તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પ...
12/06/2026

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે?
તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે.
પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે.
પિયતની સુવિધાઓ તેમજ આધુનિક તાંત્રિકતાઓના કારણે આખાય વર્ષ દરમિયાન સતત પાક લેવાથી કૃમિને યજમાન પાક મળવાથી કૃમિનું પ્રમાણ જમીનમાં વર્ષોવર્ષ વધતું જાય છે.
આ ઉપરાંત પોલીહાઉસમાં, ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવવું શક્ય બનતું નથી તેમજ સૂર્યનો સીધો જ તાપ/તડકો ન મળવાથી સાનુકૂળ તાપમાન બારેમાસ રહે છે જે કૃમિને માફક આવતું હોવાથી કૃમિનું પ્રમાણ વધતું રહે છે.

https://krushivigyan.com/2026/06/%e0%aa%95%e0%ab%83%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # કૃષિ માહિતી

કોબી નામધારી - બિંદીયા કોબીજ બિંદીયા તો બિંદીયા છેદડા નો આકાર " નાળીયેરી" જેવોદડા આકર્ષક લીલા રંગના, વજનદાર આશરે ૧.૫ કિલ...
12/06/2026

કોબી નામધારી - બિંદીયા
કોબીજ બિંદીયા તો બિંદીયા છે
દડા નો આકાર " નાળીયેરી" જેવો
દડા આકર્ષક લીલા રંગના, વજનદાર આશરે ૧.૫ કિલો
ફેર રોપણી પછી ૮૦ થી ૮૫ દિવસે તૈયાર થાય છે,
ત્યાર થયા પછી ખેતર માં ૩૦ થી ૩૫ દિવસ ઉભું રાખી શકાય
રોગ પ્રતિકારક શક્તિ સારી

વઘુ માહિતી માટે તથા તમારી નજીકમાં આ બિયારણ ક્યાંથી મળશે તે માટે ફોન કરો: પટેલ એગ્રો સીડ્સ રાજકોટ - 9825229866, 9825229766


માહિતી દરરોજ તમારા મોબાઈલમાં મેળવવા વોટ્સઅપ માં જોડાવ. https://whatsapp.com/channel/0029Va7olQW5vKAHf5hoYj1z

ખેતીમાં સમૃદ્ધિ લાવો - સુમન એગ્રોની માલામાલ તુવેર વાવો સફળ ખેડૂત બનવા માટે ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી કરો. સુમન એગ્રો...
11/06/2026

ખેતીમાં સમૃદ્ધિ લાવો - સુમન એગ્રોની માલામાલ તુવેર વાવો
સફળ ખેડૂત બનવા માટે ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી કરો. સુમન એગ્રોની માલામાલ તુવેર

ગુણવત્તા અને ઉત્પાદનનું બીજું નામ એટલે 'માલામાલ'.

આજે જ બુકિંગ કરાવો

વઘુ માહિતી માટે તથા તમારી નજીકમાં આ બિયારણ ક્યાંથી મળશે તે માટે ફોન કરો: પટેલ એગ્રો સીડ્સ રાજકોટ - 9825229866, 9825229766


માહિતી દરરોજ તમારા મોબાઈલમાં મેળવવા વોટ્સઅપ માં જોડાવ. https://whatsapp.com/channel/0029Va7olQW5vKAHf5hoYj1z

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના...
11/06/2026

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,

https://krushivigyan.com/2026/06/%e0%aa%ae%e0%aa%97-%e0%aa%85%e0%aa%a1%e0%aa%a6-%e0%aa%a4%e0%ab%81%e0%aa%b5%e0%ab%87%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%82/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# અડદ તુવેર નિંદામણ નિંદામણનાશક મગ # નિંદામણ

હવે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનાવવા ફીડબેક અને પેકિંગ ઉપર ધ્યાન આપવું પડશે. ખુબ જાણીતું સહ્યાદ્રી ફાર્મ્સના એક્...
11/06/2026

હવે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનાવવા ફીડબેક અને પેકિંગ ઉપર ધ્યાન આપવું પડશે.
ખુબ જાણીતું સહ્યાદ્રી ફાર્મ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અઝહર તંબુવાલાએ 'ફ્રેશ ઈન્ડિયા શો' એક નવી વેપાર શૃંખલા આકાર આપતી અને તેની તકો, પડકારો અને વેપારના પ્રવાહો વિશે ચર્ચાનું પ્લેટફોર્મ ગણાવ્યું . તંબુવાલાના જણાવ્યા અનુસાર, ભારતના કૃષિ વિકાસના આગામી તબક્કામાં સંશોધન અને વિકાસની સાથે કોલ્ડચેન અને વેરહાઉસ સગવડતા એક નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારત વાર્ષિક આશરે ૩૭ કરોડ (૩૭૦ મિલિયન) મેટ્રિક ટન ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે, જેમાંથી લગભગ ૨૦ લાખ (૨ મિલિયન) મેટ્રિક ટન જેટલું ઉત્પાદન ૧૨૩ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, "ભારતીય ખેડૂતો હવે માત્ર પાકના જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, રિટેલર્સ અને બજારના ફીડબેક (પ્રતિભાવો)અને પેકીંગ ના આધારે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનવું પડશે ."

https://krushivigyan.com/2026/06/%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # ખેતરનીવાત

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વાર...
10/06/2026

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ
કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો .

https://krushivigyan.com/2026/06/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be-%e0%aa%9b%e0%aa%be%e0%aa%82%e0%aa%9f%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87-%e0%aa%a8/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# કૃષિ ટેકનોલોજી # AI ટેકનોલોજી કૃષિ ટેકનોલોજી

એકલા કપાસનું વાવેતર કદી નહીં એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્રપાકને પણ સહવસવાટ કરાવતા થઈએ. વરસાદ કેટલો થ...
10/06/2026

એકલા કપાસનું વાવેતર કદી નહીં
એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્રપાકને પણ સહવસવાટ કરાવતા થઈએ. વરસાદ કેટલો થવાનો છે, તેનો અંદાજ આપણને નથી. અને કપાસ તો ઠીક ઠીક લાંબાગાળાનો પાક હોવાથી, તેમાં આવનારા રોગજીવાત, પિયતના પાણીની છત કે ખેંચ, અને હવામાન “સવા”વાળું રહે શે કે “કવા”વાળું તે પણ અગાઉથી જાણી શકાતું નથી. એટલે સરવાળે ધાર્યો હોય ગોળો અને ઉતરી જાય ભંભોટિયો ! આવું જોખમ ઘટાડવાની દ્રષ્ટિએ પણ વચ્ચેના પહોળા પાટલાની જગ્યામાં આવો આંતરપાક લીધો હોય, કે જે કપાસને ખાસ વેડે નહીં કે દબાવી ન દે, તેવો નીચો અગર પાતળો રહેતો અને ટુંકા ગાળાનો છતાં કંઇકને કંઇક ઉપજમાં, જમીન સુધારવામાં કે જીવાત નિયંત્રણમાં- કોઇને કોઇ રીતે ઉપયોગી બની રહેતો હોય! સરવાળે એ લાભકારી બનતું હોય છે. અને તમે જોજો! જીવાતોને એકધારો એકનો એક પાક ઊભો હોય તેમાં આતંક મચાવવાની જેટલી મજા પડે તેટલી મજા મિશ્રપાકી વાવેતરમાં પડતી નથી.
આવા મિશ્રપાક તરીકે મગ, અડદ, કળથી, તલ, ઊભડી મગફળી, સોયાબીન, મકાઇ કે નીચી રહેતી બાજરી, કોઇપણ અનુકૂળ જણાતા પાકને વાવી શકીએ. માનો કે કોઇ કારણસર આવતી સાલ એની એ જમીનમાં કપાસ વાવવાનું બન્યું હોય તો ચાસની જગ્યા બદલી નાખી, ફેરબદલીનો આંશિક લાભ પણ લઈ શકીએ.શકીએ. અને બીજા પાકોને વાડીમાં વસાવવાનો મોકો આપી આપણી જરૂરિયાતો બાબતે સ્વાવલંબી બની શકીએ.

https://krushivigyan.com/2026/06/%e0%aa%8f%e0%aa%95%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%95%e0%aa%a6%e0%ab%80-%e0%aa%a8/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # કુદરતની કેડીએ

ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા -'ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬' ૨૯-૩૦ મે 2026 દરમિયાન મુંબઈમાં આયોજિત 'ફ્રેશ...
09/06/2026

ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા -'ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬'
૨૯-૩૦ મે 2026 દરમિયાન મુંબઈમાં આયોજિત 'ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬' ' ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા લઈને આવ્યું . રિલાયન્સ રિટેલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અવિનાશ જોશીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને રીટેલર્સનો તાજા ફળ-શાકભાજી પ્રત્યેનો અભિગમ હવે બદલાઈ રહ્યો છે. "ભારતીય ગ્રાહકો માત્ર સસ્તું શોધનારા નથી, તેઓ ગુણવત્તા અને યોગ્ય મૂલ્ય આપનારા બન્યા છે." આ વાતના પુરાવા તરીકે તેમણે બ્લુબેરી અને એવોકાડો જેવી કેટેગરીમાં થયેલા ૫ થી ૬ ગણા ગ્રોથ તરફ ઈશારો કર્યો હતો.

https://krushivigyan.com/2026/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ab%e0%aa%b3-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be%e0%aa%a6%e0%aa%95-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%ab%82%e0%aa%a4%e0%ab%8b/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # ખેતરનીવાત

ધનેશા ક્રોપ સાયન્સ ધનેશા ક્રોપ સાયન્સે આગામી ખરીફ સિઝન માટે "સંકલ્પ: સાથ મિલ્કર જીતને કા" થીમ હેઠળ તેની બિઝનેસ પાર્ટનર્સ...
09/06/2026

ધનેશા ક્રોપ સાયન્સ
ધનેશા ક્રોપ સાયન્સે આગામી ખરીફ સિઝન માટે "સંકલ્પ: સાથ મિલ્કર જીતને કા" થીમ હેઠળ તેની બિઝનેસ પાર્ટનર્સ મીટનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશભરના ૮૨ થી વધુ વિતરકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભાગીદારોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારો, ભેટો અને ગિફ્ટ વાઉચરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધર્મેશ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તમામ બિઝનેસ પાર્ટનર્સનો તેમના સતત વિશ્વાસ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે થીમ પાછળનું વિઝન શેર કર્યું, સહયોગી વિકાસ અને ખેડૂત સમૃદ્ધિ વધારવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે કોસી, મથુરા (ઉત્તર પ્રદેશ) ખાતે આગામી ઉત્પાદન પ્લાન્ટની પણ જાહેરાત કરી, જેણે ઉપસ્થિતોમાં જોરદાર ઉત્સાહ જગાવ્યો.
પશ્ચિમ ઝોનના બિઝનેસ હેડ શ્રી અનિલ ખંડાગલેએ મુખ્ય બિઝનેસ આંતરદૃષ્ટિ રજૂ કરી અને પ્રાદેશિક વિકાસના દૃષ્ટિકોણની રૂપરેખા આપી. આ કાર્યક્રમમાં છ નવા ઉત્પાદનો - મલ્ટી-ડાઇટ, દુર્વા, દંડક, દર્પિતા, ડાયાગ્રામ અને જન્માક્ષર - નું લોન્ચિંગ પણ થયું, જે ડાંગર, શેરડી, મકાઈ, સોયાબીન અને વિવિધ બાગાયતી પાક જેવા મુખ્ય પાકોને પૂરા પાડે છે.
ઓપન માઈક સેશન દરમિયાન, વિતરકોએ કંપનીની ઉત્પાદન ગુણવત્તા, પારદર્શક નીતિઓ, નૈતિક અભિગમ અને મજબૂત ખેડૂત-કેન્દ્રિત ફિલસૂફીની પ્રશંસા કરી.
કંપનીએ શ્રી અનિલ ખંડાગલે (ઝોનલ બિઝનેસ મેનેજર), શ્રી સુનિલ રાસે (સિનિયર આરબીએમ), અને શ્રી ગણેશ કાશીદ (ડેપ્યુટી આરબીએમ) અને ઓલ એમએચ ટીમના નેતૃત્વ હેઠળના પ્રયાસોને ઇવેન્ટના સફળતાપૂર્વક આયોજન માટે સ્વીકાર્યા. વધુ વિગત માટે નીચે આપેલ ફોર્મ ભરો તો માહિતી કેટલોગ તમને પોસ્ટમાં મળશે.

https://krushivigyan.com/2026/06/%e0%aa%a7%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%be-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%aa-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # કંપની ન્યુઝ

Address

UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road
Rajkot
360002

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9:15am - 7:30pm
Saturday 9am - 7:30pm
Sunday 9am - 7:30pm

Telephone

+919825229766

Alerts

Be the first to know and let us send you an email when Patel Agro Seeds પટેલ એગ્રો સીડ્સ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patel Agro Seeds પટેલ એગ્રો સીડ્સ:

Share

Category